શ્રી અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર સંચાલિત ડો. એચ. એલ. વૈદ્ય સ્વાસ્થ્ય રક્ષા કેન્દ્ર, ભાવનગર ખાતે .દર સોમ, બુધ અને શુક્રવારે ડો.મીનાબેન આચાર્ય, સાંજે 5-30 થી 7-00 દરમિયાન ટોકન દરે દર્દીની તપાસ તથા દવાઓ આપે છે તથા રાહત દરે E.C.G. કાઢી આપવામાં આવે છે. આમ અઠવાડિયાના ત્રણ દિવસ સ્વાસ્થ્ય રક્ષા કેન્દ્રમાં ડોક્ટર્સ પોતાની અવિરત સેવાઓ આપે છે. જ્ઞાતિજનોને આ સ્વાસ્થ્ય રક્ષા કેન્દ્ર નો લાભ લેવા વિનંતી છે.
ગત તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ નાનીબોરુ ખાતે પુનઃનિર્મિત હાટકેશ્વર મંદિર પરિસરમાં આશરે ૪૫૦ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં હાટકેશ રુદ્રી મંડળ પરિવાર દ્વારા પાઠાત્મક લઘુરુદ્ર યોજાઈ ગયો, જેમાં હાટકેશ્વર નાનીબોરું , માતૃસંસ્થા અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર-ભાવનગર, ભગીની સંસ્થાઓ હાટકેશ્વર વિદ્યોતેજક સંસ્કાર કેન્દ્ર-અમદાવાદ, રન્નાદે સહાયનિધિ ટ્રસ્ટ-અમદાવાદ, અહિચ્છત્ર સંસ્કાર મંડળ-વડોદરા, પ્રજ્ઞા પરિવાર-રાજકોટ, પ્રજ્ઞા પરિવાર-આણંદ વિગેરેના ટ્રસ્ટીઓ, હોદેદારો, પ્રતિનિધિઓની હાજરીમાં યોજાઈ ગયો.
આજથી આશરે ૩૫ વર્ષ પહેલાં શરૂ થયેલ ભાવનગરની અન્નરાહત સમિતિ અવિરત પ્રમાણે ચાલી રહી છે. સ્વ.શ્રી વિનાયકરાવ નાગરદાસ ભટ્ટ, સ્વ.શ્રી ઋષિભાઈ બી.ભટ્ટ, સ્વ.રોહિતભાઈ સી.પંડ્યા, મુ.શ્રીભાસ્કરભાઈ એન.જોશી, સ્વ. મુ. બકુલભાઈ ભટ્ટ તથા સ્વ. મુ દુષ્યંતભાઇ શુક્લ વિગેરે રાત દિવસ એક કરીને જ્ઞાતિના જરૂરિયાત મંદ લોકોને સહાય પૂરી પાડી છે. સંસ્થાના ભૂતપૂર્વ મે.ટ્રસ્ટી સ્વ.શ્રી.ચંદ્રશંકર અંબાશંકર મહેતાએ પોતાના વિલ મુજબ આજ સુધીનું સૌથી વધુ અનુદાન વર્ષ ૨૦૦૪ માં રૂ.૧૦૦૦૦૦/- આ રાહત સમિતિને અર્પણ કરી અન્નરાહત સમિતિને વધુ સમૃદ્ધ બનાવી છે.